|
અસ્થમાના કારકો કયા?
કારકો તેવી વસ્તુઓ છે જે તમારા બાળકમાં અસ્થમાનો હુમલો શરુ કરી શકે છે અને તેને વધુ ખરાબ બનાવી શકે છે.
કારકો બધે જ હોય છે. તમારું ઘર, શાળા, રમતગમતનું મેદાન પણ ટ્રિગર્સથી ભરેલા હોઈ શકે છે.
તમારા બાળક માટે અસ્થમાના કેટલાક સામાન્ય ટ્રિગર્સ આ પ્રમાણે હોઈ શકે :
 |
| ધૂળ અને ધુમાડો |
|
 |
| ઝાડવામાંથી પરાગરજ |
|
 |
| શાળામાં ચોકની રજકણો |
|
 |
| વાતાવરણમાં પરિવર્તન |
|
 |
| તીવ્ર સંવેદનાઓ જેવી કે હસવું અને રડવું |
|
 |
| રુંવાટીવાળા પ્રાણીઓના વાળ અને પક્ષીઓના પીંછા |
|
 |
| શારીરિક શ્રમ અને વ્યાયામ |
|
|
તમારા બાળક માટે ફક્ત એક જ કારક હોઈ શકે અથવા તમારા ધ્યાન ઉપર અનેક વસ્તુઓ આવશે જે અસ્થમા ઉત્તેજક તરીકે કાર્ય કરતી હોય. એક વખત તમને જાણ થઇણ જાય કે તમારા બાળકનો અસ્થમા શેનાથી ઉત્તેજીત થાય છે (શરૂ થાય છે), અગત્યનું તે છે કે તમે આ ટ્રિગર્સને નિયંત્રિત કરવા માટે પગલા લો. જ્યારે તમે તમારા ઘરમાંથી ટ્રિગર્સ દૂર કરો અથવા તમારા બાળકને આ ટ્રિગર્સથી દૂર કરો જે બહાર હોય, તમે તમારા બાળકને નિરોગી રહેવામાં મદદ કરો છો_અને જેથી અસ્થમાના હુમલા વધુ ઓછા થાય છે. ડૉકટર સાથે મળીને તમારા બાળકના ટ્રિગર્સ ઓળખવા બાબત કાર્ય જરૂર કરશો.
કૃપા કરી નોંધો :આ કોઇ સર્વ સમાવિષ્ટ ટ્રિગર્સની યાદી નથી. જો તમારા બાળકને અસ્થમા હોય તો તમારે
તમારા બાળકના ટ્રિગર ઉપર નજર રાખવાની છે અને તેની સાથે સંપર્ક ટાળવાનું તમારા બાળકને કહેવાનું રહેશે. તમારા ડૉકટર સાથે હંમેશા સલાહ મસલત કરશો જો તમને તમારા બાળકના ટ્રિગર્સ, લક્ષણો અને સારવાર વિશે કોઇ શંકા હોય.
|
|
|
|