એલર્જીક નાસિકા પ્રદાહ

નિદાન

અમે તમારી સમસ્યાનું નિદાન કરવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે ડૉક્ટર તમારા અને તમારા કુટુંબના તબીબી ઇતિહાસ, જીવનશૈલી, ખાનપાનની આદતો, કામ અને ઘરના વાતાવરણ તથા તમે જે લક્ષણો અનુભવો છો તેની આવૃત્તિ તેમજ તીવ્રતા વિશે વિસ્તૃત પ્રશ્નો પૂછશે. ડૉક્ટર તમને પણ તપાસશે અને તમારાં લક્ષણો શાના કારણે વણસે છે અથવા સુધરે છે તેના આધારે તમારા ડૉક્ટર જાણશે કે તમને ઍલર્જિક રાઇનાઇટિસ છે કે કોઈ અન્ય સમસ્યા છે.

જો તમારાં લક્ષણો તીવ્ર હોય તો તમારા ડૉક્ટર તમને ઍલર્જિનું પરીક્ષણ કરાવવાનું કહી શકે છે જેથી તમને શાની ઍલર્જિ છે તે શોધી શકાય. ક્યારેક, લોહીનાં વિશિષ્ટ પરીક્ષણોથી પણ તમને શાની ઍલર્જિ છે તે શોધવામાં મદદ મળી શકે છે.

Please Select Your Preferred Language