ધ બ્રીધફ્રી ફેસ્ટિવલ
દેશના સૌથી વિશાળ દર્દી શિક્ષણ કાર્યક્રમોમાંથી એક બ્રીધફ્રીનો ઉદ્દેશ્ય એ શ્વસનની સમસ્યાઓ વિશે જાગૃતિ વધારવી અને ફેલાવવી તેમજ તેને કઈ રીતે કાબૂમાં લેવી એ છે. એ અંત પર અમે બ્રીધફ્રી ખાતે વર્ષો વીતવાની સાથે વિવિધ કેમ્પો અને પ્રવૃત્તિઓનાં આયોજન કર્યાં છે, જેથી લોકો પોતાના ફેફસાના સ્વાસ્થ્ય વિશે વધુ જાગૃત બને.
બ્રીધફ્રીને દેશના દરેક ખૂણે લઈ જવાની અને પોતાને સમસ્યા હોવાનું જેઓ જાણતા ન હોય તેમને નિદાન અને સારવારમાં મદદ કરવા માટે આવશ્યક તબીબી માળખું પૂરું પાડવાના પ્રયત્ન તરીકે અમે બ્રીધફ્રી ફેસ્ટિવલનું સર્જન કર્યું છે.
બ્રીધફ્રી ફેસ્ટિવલ એ બ્રીધફ્રી પરિવાર માટે એક આવશ્યક અભિયાન છે, કારણ કે તે અસ્થમા, ઇન્હેલેશન થેરપીને લગતી બધી ભ્રમણાઓ તોડવાનું કામ કરે છે અને લોકોને ભય વિના તેનો સ્વીકાર કરવામાં મદદ કરે છે. ઇન્હેલેશન થેરપીનાં વિવિધ પાસાઓ ખોજવાં અને સમજાવવાં માટે અમે બ્રીધફ્રી સ્ક્રીનિંગ યાત્રા અને બ્રીધફ્રી કેમિસ્ટ જેવાં માધ્યમો બનાવ્યાં છે.
બ્રીધફ્રી યાત્રા સમગ્ર દેશમાં આશરે 400થી વધુ સ્થળો પર નિદાનથી વંચિત લગભગ 100,000 લોકો સુધી પહોંચી છે જેમાં 300થી વધુ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો પણ છે. હાલમાં પોતાના ત્રીજા વર્ષમાં પ્રવેશેલ બ્રીધફ્રી ફેસ્ટિવલ શ્વસનની સમસ્યાઓ વિશે જાગૃતિ વધારવા અને તેના દર્શકોમાં જાગૃતિ વધારવા માટે કામ કરતી વિવિધ ટીમોમાં પોઝિટિવ ઓરા સર્જવામાં અગ્રણી રહ્યો છે